સદગુરુ અને શેખર કપૂર નંદિની વિશેષતા અને પ્રતિકાત્મકતા વિશે ચર્ચા કરી રહ્યા છે:
શેખર કપૂર: મારા ખ્યાલ થી તે ભગવાન શંકરનું વાહન છે, શુ તે ભગવાન શંકરની રાહ જોઈ રહ્યો છે કે તે બહાર આવીને કઈ કહેશે? નંદી વિશે બીજું કંઈ કહો.
સદગુરુ: તેને ભગવાન શંકર બહાર આવીને કઈ કહેશે તેની રાહન થી જોય રહ્યો. તે બસ રાહ જોઈ રહ્યો છે. નંદી અનંત પ્રતીક્ષા નું પ્રતીક છે. કેમ કે ભારતીય સંસ્કૃતિ માં પ્રતીક્ષા ને સૌથી મોટો ગુણ માનવામાં આવે છે. જે માણસ ચુપચાપ બેસીને રાહ જોવે છે તેને કુદરતી રીતે ધ્યાનશીલ માનવામાં આવે છે. તે ભગવાન શંકરનો ચીરકાળ સુધી રાહ જોઈ શકે છે. નંદી ભગવાન શંકર ના બહુ જ કરીબ છે. કેમ કે તે પોતે ગ્રહનશીલતા નું તત્વ છે. કોઈ મંદિરની અંદર જતા પેહલા નંદીનું ગુણ તમારા માં હોવું જોઈએ.
શેખર કપૂર: મારા ખ્યાલ થી રાહ જોવી અને અનુમાન એન્ડ અપેક્ષા કરવી, બંને અલગ અલગ વસ્તુ છે..?
સદગુરુ: તે કોઈ વસ્તુ કે અનુમાન અથવા કોઈ ઉમ્મીદ માં રાહ નથી જોતો. બસ તે રાહ જોવે છે. આ રીતે બેસવું જ ધ્યાન છે. બસ તે તમને એ સંદેશ આપે છે. અંદર જઈને બેશો. સુસ્ત થઈને નહિ પરંતુ સજાગ થઈને.
શેખર કપૂર: તો શું નંદી બૈલ ધ્યાનમગ્ન થઈને બેઠો છે?
સદગુરુ: લોકો ને હંમેશા એ વાતની ગલતફેમી હોય છે કે ધ્યાન કોઈ પ્રકારની ગતિવિધિ અથવા ક્રિયા છે. ના, તે એક ગુણ છે. આ બુનિયાદી અંતર છે. પ્રાર્થના નો મતલબ છે કે તમે તમે ઈશ્વર જોડે વાત કરવાનો પ્રયત્ન કરો છો. ધ્યાનનો મતલબ એ છે કે તમે અસ્તિત્વનો , સૃષ્ટિની પરમ પ્રકૃતિને સાંભળવા માંગો છો.
શેખર કપૂર: ધ્યાનલિંગ નો નંદી કઈ વસ્તુથી બનેલો છે? મને તે ધાતુનો બનેલો લાગે છે, શુ આ સ્ટીલ છે.?
સદગુરુ: આ કદાચ એક લૌતો નંદી છે જે ને આ અનોખી રીતે બનવવામાં આવ્યો છે. ધાતુના નાના નાના ટુકડા, જે છ થી નવ ઇંચ મોટા હતા, ભેગા કરીને તેના ઉપરનો હિસ્સો તૈયાર કરવામાં આવ્યો છે.