હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મી જેના પર મહેરબાન હોઈ એના પર સદૈવ ધનની વર્ષા થતી હોય છે. વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે. અમૂકવાર ધન પ્રાપ્ત કરવા માટે મેહનત સાથે કિસ્મત પણ હોવી જોઈએ છે. જ્યોતિષશાસ્ત્ર માં માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે.
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રોજ સવારે અને સાંજે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. મા લક્ષ્મી ના આશીર્વાદ વગર આપણા જીવનમાં આર્થિક ઉન્નતિ થતી નથી. માં લક્ષ્મી ને ધન અને વૈભવના કારક માનવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ એ કયા 3 કામ છે જેને કરવાથી માતા લક્ષ્મી નો હંમેશા ઘરમાં વાસ રહે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં પતિ અને પત્ની એક બીજાનું સન્માન કરતા હોય અને બંને વચ્ચે પ્રેમ સાથે અનુશાસન પણ હોય, એક બીજા પર ભરોસો કરતા હોય અને સુખ દુઃખ માં સાથે ઊભા રેહતા હોય, નાના નાના જગડાઓમાં તુલ દેતા ના હોય તેવા ઘરોમા માં લક્ષ્મી સ્વયં રહેવા માટે આવી જાય છે. આવા ઘરો સ્વર્ગ થી ઓછા નથી હોતા અને ત્યાં હંમેશા ખુશીઓ વરસતી રહે છે. બંને વચ્ચે મધુર સબંધો હોય ત્યાં માં લક્ષ્મી નો વાસ હોય છે.
પૌરાણિક માન્યતા અનુસાર અનાજ ભગવાનનું આપેલ એક પ્રસાદ છે. જેને આપણે પુરી શ્રદ્ધા અને સન્માનથી ગ્રહણ કરવું જોઈએ. આપડે ક્યારે પણ ભૂલથી અનાજનું અપમાન કરવું જોઈએ નહીં. આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરમાં અનાજના દાણા દાણા નું મહત્વ સમજાય છે તે જગ્યાએ અનાજને સારી રીતે સંગ્રહિત કરવામાં આવે છે. તે જગ્યા પર દેવી લક્ષ્મીનો સદૈવ વાસ રહે છે.
શાસ્ત્રીય માન્યતા અનુસાર અજ્ઞાની વાતોને હંમેશા નજર અંદાજ કરવામાં જ ભલાઈ છે. જે ઘરોમાં મુર્ખઓ અને અજ્ઞાનીઓની વાતો અવગણી દેવામાં આવે છે અને સમજદાર લોકોની વાત સાંભળવા અને માનવામાં આવે છે તેવા ઘરમો સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે પોતાનું ઘર બનાવી દે છે. હંમેશા પોતાના વડીલોની સલાહ લેવી જોઈએ, આવા ઘરોમાં તરક્કી થાય છે. આમ કરવાથી માં લક્ષ્મી સદૈવ તેવા ઘરમાં વાસ કરે છે.