Categories
ધાર્મિક

વાઘબારસે સરસ્વતી માતાને સ્પર્શ કરો.ધનતેરસ પહેલા બધી મનોકામના થશે પૂર્ણ

વિદ્યા, સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે મા સરસ્વતી. સરસ્વતી માતા વાણીનાં પણ દેવી છે. તેથી વાણીને સંસ્કૃતમાં વાક્ કહેવાય છે. વાક્નું અપભ્રંશ વાઘ થઇ જતાં આસો વદ બારશને વાઘ બારશ કહેવાય છે. વાઘ બારશે મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. વાઘ બારસ એ દિવાળી મહત્સવનો અગત્યનો દિવસ છે જે ભારત સહિત અન્ય દેશોમાં ખૂબ જ ઘામઘુમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બુરાઇ ૫ણ ભલાઇની જીત, અંઘકાર ૫ર પ્રકાશની જીત, અને અજ્ઞાન ૫ર જ્ઞાનની જીતના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે.

દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસના દિવસથી થાય છે. આ દિવસે ગાયની પૂજાનું અનેરૂ મહત્વ રહેલુ છે. આ દિવસે શ્રી વલ્લભ ભગવાન દત્તાત્રેયના અવતાર કૃષ્ણા નદીમાં ગાયબ થઇ ગયા હતા. કેટલાક સ્થળોએ આ દિવસ ગુરૂ અથવા ગૌવત્સ બારસ ના નામથી ૫ણ ઓળખાય છે. ગૌ શબ્દ એ ગાયનો ઉલ્લેખ દર્શાવે છે તથા વત્સ શબ્દ એ વાછડાનો ઉલ્લેખ દર્શાવે છે.વાઘ બારસને વાક બારસ,વાઘ બારસ,અથવા વસુ બારસ વિગેરે નામોથી ઓળખવામાં આવે છે.

આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી એટલે જ આ દિવસે  વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું  પૂજન કરવાનો મહીમા છે.ઉપરાંત  દિવસને વાઘ બારસ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે.

એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.આ દિવસ વસુ બારસ તરીકે ૫ણ ઉજવાય છે. જેમાં વસુ એટલે કે ગાય. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આ દિવસે ખાસ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના ભકતો ગાયની પૂજા કરે છે. તેને ઘાસ-ચારો ખવડાવે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *