Categories
જ્યોતિષશાસ્ત્ર

શનિદેવનું મકર રાશિમાં વક્રી થવાથી આ 3 રાશીઓને થશે જબરદસ્ત ફાયદા, મળશે અપાર ધન….

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક સમય અનુસાર રાશિ પરિવર્તન કરતા હોય છે. જેનો સીધો અસર માનવ અને દેશ દુનિયા બધા પર થાય છે. તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી  શનિ દેવએ જુલાઈ મહિનામાં મકર રાશિ પ્રવેશ કર્યો હતો અને તે 23 ઓક્ટોબર સુધી મકર રાશિમાં બિરાજમાન રહેશે. શનિ દેવ મકર રાશિમાં બિરાજમાન છે અને 3 મહિના સુધી ત્યાં જ બિરાજમાન રહેશે. જેનાથી આ 3 રાશિના જાતકોને લાભદાયી ફળ મળશે. તો ચાલો જાણીએ આ 3 રાશિ કઈ છે.

મેષ રાશિ:

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિનું મકર રાશિમાં વક્રી થવાને કારણે ઘણા લાભ થશે. શનિ દેવ મેષ રાશિના 10 માં ભાવમાં ગોચર કરશે. પરીવાર સાથે સમય પસાર થવાથી ઘરનું વાતાવરણ સારું બની રહેશે. મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે. આ રાશિના જાતકો ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ હોય છે. તે ખૂબ જ પ્રભાવશાળી હોય છે જ્યાં જાય છે ત્યાં તેમની તારીફ થાય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયની દ્રષ્ટિ એ તમારો દિવસ સારો રહેશે. વડીલોનો સહયોગ મળશે.

ધનું રાશિ:

શનિ દેવ ધનું રાશિના ગોચળ કુંડળીમાં બીજા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જેને ધન અને વાણીનું ઘર કહેવામાં આવે છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. વેપારમાં સારો નફો થઈ શકે છે. અટકેલા કામો અને પૈસા પાછા મળી શકે છે. વાહન અને જમીન ખરીદ અને વેચાણમાં અનુકુળ સમય રહેશે. અટકેલા પૈસા પાછા મળશે. આવનારો સમય ખુશીઓ થી ભરેલો હશે.

મીન રાશિ:

શનિનું મકર રાશિમાં વક્રિ થવાને લીધે મીન રાશિના જાતકોને લાભ થશે. શનિદેવ મીન રાશિમાં 11 માં ભાવમાં ભ્રમણ કરશે. જેને વૈદિક જ્યોતિષશાસ્ત્ર માં ધન અને આવકનું ઘર માનવામાં આવે છે. વ્યવસાય માં ઘણા નવા માર્ગો ખુલશે જેથી આવકના સ્ત્રોત વધશે. શનિ તમારા 12 માં ઘરનો પણ સ્વામી છે. તેથી આ સમયે તમારા નકામાં ખર્ચાઓ પર નિયંત્રણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *