શંખનું મહત્વ પ્રાચીન સમયથી જોડાયેલ રહ્યું છે જેમ કે હિંદુ ધાર્મિક કથાઓ મુજબ જોવામાં આવે તો સમુદ્ર મંથન દરમિયાન શંખ મળ્યો હતો એટલે કે શંખ ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરના પૂજા સ્થાને શંખ રાખો છો અને તેની પૂજા કરો છો તો તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ આવશે નહિ.
તમને જણાવી દઈએ કે ઘરમાં શંખ રાખવાથી માત્ર પૂજા પુરતી જ સીમિત નથી તેના બીજા પણ ઘણા ફાયદા છે. જેમ કે મા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે આવી સ્થિતિમાં જો તમે શંખની પૂજા કરશો તો તમારા ઘરમાં કોઈ દિવસ ધનની કોઈ કમી રહેશે નહિ આ માટે તમારે શુક્રવારે લક્ષ્મીજીની પૂજા સમયે શંખ જરૂર ફૂંકવો જોઈએ.
ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને શંખ ધારણ કરે છે એટલા માટે જે ઘરમાં શંખ રાખવામાં આવે છે ત્યાં બંનેના આશીર્વાદ રહે છે. આવી જ રીતે જો ઘરમાં નકારાત્મકતાનો અનુભવ થઇ રહ્યો છે તો દરરોજ શંખ ફૂંકવો અને શંખ ભરીને આખા ઘરમાં પાણી છાંટવું.
જો તમે શંખમાં જળ ભરીને શિવલિંગનો અભિષેક કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આટલું જ નહિ તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે જેના કારણે તમારું કોઈ કામ થઈ રહ્યું નથી તો દરરોજ ઘરમાં શંખ ફૂંકવો તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.