શનિ ગોચરના કારણે આજથી આ 4 રાશીને મળશે મોટી સફળતા.લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Uncategorized

નવા વર્ષની શરૂઆતમાં ઘણા ગ્રહો ગોચર કરવા જઇ રહ્યા છે. વર્ષ 2023ની શરૂઆતમાં શનિ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતી શની ગ્રહની હોય છે. શનિ ગ્રહ વર્ષ 2023ની શરૂઆતમાં પોતાની રાશિ પરિવર્તિત કરવા જઇ રહ્યો છે. 17 જાન્યુઆરી, 2023 ના રોજ શનિ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન ઘણી રાશિની મહાદશા સમાપ્ત થશે. જે કારણે તેમને સંકટમાંથી મુક્તિ મળવાને કારણે ઘણા લાભ મળશે.

મેષ રાશિઃ મેષ રાશિમાં હાલ રાહુનું ગોચર છે અને આગામી વર્ષે ગુરુનું ગોચર હશે. શનિ મેષ રાશિના એકાદશ ભાવમાં ગોચર કરશે. આવામાં ધન સંપત્તિને લઈને તમારું  ભાગ્ય ચમકી જશે. તેનાથી નોકરી, કરિયર અને વેપારમાં ઉન્નતિ થશે. આવકમાં વધારો થશે. શનિ તમારી રાશિના દશમ ભાવમાં ગોચર કરશે જેનાથી કાર્યસ્થળ પર તમને પ્રગતિ જોવા મળશે. શનિ તમારી દશમ અને નવમ ભાવના સ્વામી પણ છે. આવામાં તમને ભાગ્યનો સાથ પણ મળશે અને તમામ પ્રકારના અટકેલા કાર્યો પણ પૂરા થશે. તમારી રાશિના સ્વામી શુક્ર છે જેને શનિ સાથે બને છે. આવામાં તમને લાભ પણ સારો થશે.

વૃષભ રાશિઃ વૃષભ રાશિના દસમા ઘરમાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે. આ સાથે જ આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. વૃષભ રાશિની કુંડળીમાં ભાગ્ય સ્થાન પર શનિની અસર પડી રહી છે, પરંતુ જાન્યુઆરીમાં કુંભ રાશિમાં ગોચરના કારણે શનિદેવનો પ્રકોપ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

વેપારમાં પણ અપાર સફળતા પ્રાપ્ત થશે. આ દરમિયાન વિદેશ યાત્રાની શુભ સંભાવનાઓ બની રહી છે. શનિના ગોચરથી વૃષભ રાશિના જાતકોની આર્થિક બાબતોમાં મજબૂતી આવશે. આ સાથે તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે.

ધન રાશિઃ શનિ ધન રાશિના ત્રીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ રાશિના લોકો પર છેલ્લા સાડા સાત વર્ષથી શનિનીસાડાસાતી ચાલી રહી છે. આવી સ્થિતિમાં તેમને માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળશે.

આ ઉપરાંત તેમના જીવનમાં આવનારી ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે. આ સાથે સાથે તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. નોકરીમાં પણ પ્રમોશનની સંભાવના છે. તમે જે કામ લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યા છો, તેમાં તમને સફળતા મળશે.

કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકોને શનિની બદલાતી ચાલને કારણે ઘણી દોડધામ કરવી પડી શકે છે. આ સમયે તમારો ધન ખર્ચ વધુ રહેશે. તેમજ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. આ સમયે તમારી વિદેશ યાત્રાના યોગ બનશે, પરંતુ આ પ્રવાસમાં તમને ઘણો ખર્ચ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *