ગુજરાતનું એક પવિત્ર સ્થળ એટલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી માતાનું આવેલું ભવ્ય મંદિરે. આ મંદિર અરવલ્લી શૃંખલાના આરાસુર પર્વત પર આવેલું છે. એવુ માનવામાં આવે છે કે અહીંની અખંડ જ્યોતિ ક્યારે પણ ઓલવાઈ નથી. અહીંયા ભાદરવી પૂર્ણિમા ના દિવસે ભક્તોની ભીડ લાગે છે.
આજે પણ લોકોને મંદિરમાં માતાજીના હોવાનો અહેસાસ થાય છે. અંબાજી માતાનું મંદિર દેશના સૌથી જુના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનો માંથી એક છે. અંબાજીનું આ મંદિર માં દેવી સતીના 51 શક્તિપીઠો માંથી એક છે. અંબાજીનું મંદિર આરસપહાણ ના પથ્થરોથી બનેલું છે. મંદિરની શિખર 103 ફુટ ઊંચું છે અને સોનાથી બનેલું છે.
આદ્યશક્તિ મા અંબાનું અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. જોકે, બદલાતા સમયમાં હવે હળદર અને ચૂનામિશ્રિત કુમકુમ શ્રદ્ધાળુઓ દ્વારા વપરાઈ રહ્યું છે. અંબાજીનું આ મંદિર પણ એક શક્તિપીઠ જ છે પરંતુ થોડું અલગ છે કેમ કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું.
આરાસુરી અંબાજી માતાના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહિ પરંતુ શ્રી વિસાયયંત્ર ની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં માતાજીની પૂજા વિધિ શ્રીયંત્રની આરાધાનથી થાય છે જે સીધી આંખે જોઈ શકાતું નથી. મંદિરના પૂજારી માતાજીનો એટલો અદભુત શ્રીંગાર કરે છે કે જાણો માતાજી મંદિરમાં સાક્ષાત વિરાજમાન હોય.
અંબાજી મંદિર જોડે જોડાયેલો એક ઇતિહાસ જે ઘણા લોકોને નાઈ ખબર હોય. ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ અંબાજી મંદિરમાં જ કરવામાં આવ્યું હતું.
જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે માં અંબાના ચરણોમાં જ આ સ્થાન પર મુંડન સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. ભગવાન રામ પણ શક્તિપીઠ ની ઉપાસના માટે અંબાજી માતાના મંદિર માં આવી ગયા છે. અંબાજી માતાના મંદિર ની ખૂબ જ વિશેષતાઓ છે.
51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને માઉન્ટ આબુ પર્વત ઉપર હોઠ ના ભાગ પડ્યા હતા. દેવી ભાગવત મુજબ, અગ્નિદેવની કૃપાથી મહિષાસુર ત્રણે લોકમાં ત્રાસ વર્તાવતો હતો. તેનો સંહાર કરવા દેવોએ ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી તે સમયે મા અંબા પ્રગટ થયાં.
તેમણે મહિષ નામના દાનવનો સંહાર કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયાં હતા. અંબાજી મંદિર ના પરિસરમાં 45 મિનિટમાં મા અંબાની ઉત્પત્તિ અને 51 શક્તિપીઠોની સમજ આપવા 3-D મુવી થિયેટર પણ આવેલ છે. 3 D થિયેટર માં દરેકમાં 70 સીટ આવેલ છે.