સાત હનુમાનને ટચ કરો.જય હનુમાન લખી 4 વાર શેર કરી લ્યો.રાતોરાત તમારું નસીબ બદલાઈ જશે

Uncategorized

દેશમાં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે જેમાં અનેક મંદિર પોતાના ચમત્કારથી જાણીતા થયા છે. જેના કારણે ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે.

ત્યારે આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવા જઈ રહ્યા છીએ. જે ઘણા અદ્ભૂત ચમત્કારો થી દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિર રાજકોટથી ચાર કિલોમીટર દૂર આવેલું છે. જે મંદિરમાં અનેક ભક્તો શનિવારના દિવસે દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે.

કોઈ પણ શુભ કામ કરવું હોય તો પહેલા ભક્તો સાત હનુમાન દાદાના મંદિરે આવીને તેમના દર્શન કરે છે. દાદાના સાચાં મનથી દર્શન કરવાથી તેમના તમામ કામ પુરા થાય છે. આખા રાજકોટ શહેરમાં સાત હનુમાન દાદાના પરચા વખણાય છે.

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલું છે.તે મંદિરને સાત હનુમાનજી કહેવાય છે. ત્યાં હનુમાનજીનું ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે. રાજકોટ શહેરના સ્વયંભૂ હનુમાનજી મંદિર માંથી એક મંદિર છે. હનુમાન દાદા ના આ મંદિરમાં તહેવારમાં હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે.

લોકો આ મંદિરે રડતા રડતા આવે છે તે ભક્તો અહીંથી જતી વખતે ખુશ થઈને જતા હોય છે. અહીંયા એક સાથે સાત હનુમાનજી પ્રગટ થયા હતા જેના લીધે આ મંદિરનું આજે સાત હનુમાનજી નામ રાખવામાં આવ્યું છે અને તે ખૂબ પ્રસિદ્ધ છે.

શનિવારના  દિવસે આ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે.  ભક્તો આ મંદિરે આવીને ખાલી માથું જ ટેકવે છે અને દાદા તેમની બધી મનોકામના પૂર્ણ કરતા હોય છે. આ મંદિરે જે ભક્તો સાચી શ્રદ્ધાથી માંગતા હોય છે. તેમને તેનું ફળ અવશ્ય મળે છે.

હનુમાન દાદાનું આ મંદિર ઘણા વર્ષો જૂનું છે. ભક્તો સાત હનુમાન દાદા ના આ મંદિરે અનેક માનતા લઈને આવતા હોય છે. એક ભક્ત એ પોતાના બાળકના વિઝા માટે દાદાની માનતા રાખી હતી તેમના ભક્તની ઈચ્છા દાદાએ પુરી કરી હતી આવી અનેક ભક્તોની માનતા દાદા પુરી કરતા હોય છે. હનુમાન જયંતી ના દિવસે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *