વૃશ્વિક રાશિમાં સર્જાયો “ત્રિગ્રહી યોગ”.આ 4 રાશિઓને થશે મહાલાભ

Uncategorized

આ સમયે શુક્ર, બુધ અને સૂર્ય ગ્રહ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. શુક્ર, બુધ અને સૂર્ય ને જ્યોતિષ શાસ્ત્ર માં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શુક્ર, બુધ અને સૂર્ય શુભ હોવાથી વ્યક્તિના જીવનમાં ભાગ્યોદય થાય છે. જ્યોતિષ ગણના અનુસાર શુક્ર, બુધ અને સૂર્ય અમુક રાશિઓ પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. આ રાશિઓ માટે આવનારા કેટલાક દિવસો વરદાન સમાન હશે. સૂર્ય 16 નવેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં પહોંચશે. જ્યાં પહેલાથી હાજર શુક્ર અને બુધ હોવાથી ત્રિગ્રહી સંયોગ બનશે. મંગળની રાશિમાં સૂર્યનું આવવું રાશિ ચક્રની ચાર રાશિઓ પર ભારે પડી શકે છે. તેના પ્રભાવથી આ રાશિઓએ કરિયર, પરિવાર અને આર્થિક મામલે નુકસાન ઉઠાવવું પડી શકે છે. આ રાશિઓ કઈ કઈ છે તે જાણો.

મેષ રાશિ

મેષ રાશિના લોકોને અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. મેષ રાશિના જાતકો તમારે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડશે. તમને શરદી, ઉધરસ અને તાવથી લઈને સ્કિન સંબંધિત કેટલીક સમસ્યા થઈ શકે છે. સંતુલિત ભોજન લેવાથી બીમારીઓની ઓછી અસર થશે. ખર્ચ પર કાબૂ રાખવો. સરકારી નોકરી કરી રહેલા લોકોને તો વધારે સાવચેતી રાખવાની સલાહ છે. વડીલોની સલાહ અવશ્ય લો.

વૃશ્ચિક રાશિ

સૂર્યના વૃશ્ચિક રાશિમાં આવવાથી તમારા વૈવાહિક જીવનમાં ઉથલ પાથલ થઈ શકે છે. પરિવારિક જીવન પર અસર પડી શકે છે. પાર્ટનર સાથે વિવાદ કરવાથી સંબંધ ખરાબ થઈ શકે છે. કરિયરમાં પણ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. આ સમયે પૈસાના મામલે કોઈ તમને દગો આપી શકે છે. વેપારમાં પાર્ટનરની સાથે તમારે વિવાદ વધી શકે છે. ઉપાય તરીકે રોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો. તમારે સાવધાન રહેવાની જરૂરત છે.

કન્યા રાશિ

કન્યા રાશિ પર સૂર્યના ગોચરનો પ્રભાવ કંઈક એવો થશે કે, તમારે આ સમયે ધનના મામલે નુકસાન ઉઠાવવું પડી શકે છે. જો તમે એક વેપારી છો તો કોઈ ઓર્ડરના કારણે તમને નુકસાન થશે. વિદ્યાર્થીઓ માટે પણ શુભ સમય નથી. જે પરીક્ષાઓમાં તમને સફળતાની આશા હતી, ત્યાંથી નિરાશા મળી શકે છે. આ સમયે આત્મવિશ્વાસમાં ઉણપ જોવા મળશે. અંગત જીવનમાં પણ તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. પ્રેમ સંબંધોમાં કોઈની દખલગીરીથી સંબંધ બગડી શકે છે. ઉપાય તરીકે દર રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો.

ધન રાશિ

ધન રાશિના લોકોના સ્વાસ્થ્ય પર સૂર્ય ગોચરની ખરાબ અસર થઈ શકે છે. આ રાશિના ઘરડા લોકોને હૃદય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. તો કેટલાક લોકો મોસમી બીમારીની ઝપેટમાં આવી શકે છે. જેમ કે, તાવ અને ડેન્ગ્યુ. આત્મવિશ્વાસ ઘટશે અને કાર્યક્ષેત્રમાં સહયોગીઓની સાથે મતભેદ થઈ શકે છે. પરિવારના લોકો સાથે પણ વિવાદ થાય તેવી શક્યતા છે. આ દરમિયાન વધારે પૈસા ખર્ચ થશે. નોકરી કરી રહેલા લોકોને નિરાશા મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *