તુલસી વિવાહ પર આ ઉપાય તમને બનાવશે લખપતિ

Uncategorized

તુલસી વિવાહ ૨૦૨૨ કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ૪ નવેમ્બર, શુક્રવારે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ૪ મહિનાના યોગ નિદ્રા પછી જાગે છે.એટલે કે ૪ નવેમ્બરના રોજ દેવ ઉત્થાની એકાદશી હશે. તુલસી વિવાહના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ ઉપાયોથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ પણ વધે છે. તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં અપાર સુખ-સમૃદ્ધિ આવે છે.

કારતક માસના શુક્લ પક્ષની આ એકાદશી તિથિ ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે. એકાદશી તિથિ ૪ નવેમ્બરે સાંજે ૬:૦૮ કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ૪ નવેમ્બરે એકાદશી વ્રત રાખવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને વિવાહિત જીવનમાં સુખનો કારક માનવામાં આવે છે. પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તેમને જગાડવાનું કહેવામાં આવે છે.

જો તમે ઘરમાં તુલસી લાવવાનું વિચારી રહ્યા છો તો તુલસી વિવાહ માટે ઘરમાં તુલસી લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં તુલસી વાવીને તેમને આખું વર્ષ હર્યા ભર્યા રહેવાની પ્રાર્થના કરો. આ સાથે એ પણ ધ્યાન રાખો કે તુલસીની આસપાસ કોઈ કાંટાવાળા છોડ કે કેક્ટસ ન હોવા જોઈએ. આ ઉપરાંત તુલસી પાસે સાવરણી કે ડસ્ટબીન ન હોવું જોઈએ.

જેમને વિવાહિત જીવનમાં થોડી સમસ્યા હોય તેમણે તુલસી વિવાહના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો લગ્નજીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દેશે. આ માટે તુલસી વિવાહના દિવસે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો ઘરમાં પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરો. આ પછી સ્વચ્છ પાણીમાં તુલસીના પાન નાંખો અને થોડીવાર પછી આ પાણીને આખા ઘરમાં છાંટો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *