હિંદુ ધર્મમાં ગરુડ પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની પાસે આ ૪ વસ્તુઓ હોય તો સ્વર્ગ જવા માટે શ્રાદ્ધકર્મોની જરૂરિયાત રહેતી નથી. મૃત્યુ સમયે આ વસ્તુઓ માણસની પાસે હોય તો એ સ્વર્ગ લોકમાં જાય છે. આમ, દરેક વ્યક્તિએ આ વાત જાણવી ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ ૪ વસ્તુઓ વિશે જે મૃત્યુ સમયે પાસે હોય તો સ્વર્ગમાં જઇ શકાય છે.
તુલસી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલો તુલસીનો છોડ તીર્થરૂપી હોય છે. એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ તુલસીની મંજરથી યુક્ત થઇને પ્રાણ ત્યાગે છે એ ક્યારે પણ યમલોકમાં જતો નથી. મરનાર વ્યક્તિને તુલસી પાસે સુવડાવવામાં આવે અને મોં અને માથા પર તુલસીના પાન અને મંજર મુકવામાં આવે તો વ્યક્તિ સીધો જ પરલોકમાં જાય છે.
ગંગાજળ: ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનો મૃત્યુ સમય નજીક હોય ત્યારે એના મોંમા ગંગાજળ નાંખવું જોઇએ. વિષ્ણુ ભગવાનના કમળ ચરણમાંથી નિકળેલી ગંગા પાપોનો નાશ કરે છે અને પાપનો નાશ થતાની સાથે જ વ્યક્તિને વૈકુઠ પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે. આ માટે ગંગામાં અસ્થિનું વિર્સજિત કરવામાં આવે છે. જ્યાં સુધી અસ્થિ ગંગમાં રહે છે ત્યાં સુધી સ્વર્ગનું સુખ ભોગવે છે.
તલ: શ્રાદ્ધ પક્ષમાં તલનું વિશેષ મહત્વ રહેલું છે. તલ ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉતપન્ન થવાને કારણે એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે જ્યારે વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવી ગયો હોય ત્યારે હાથથી તલનું દાન અચુક કરાવવું જોઇએ. તલના દાનને બહુ મોટું દાન માનવામાં આવે છે.
કુશ: સનાતન ધર્મમાં કુશનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કુશ એક પ્રકારનું ઘાસ હોય છે. આના વગર ઇશ્વરની પૂજા અધૂરી રહે છે. શાસ્ત્રો અનુસાર કુશ ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉતપન્ન થયું છે. મૃત્યુના સમયે વ્યક્તિને કુશનું આસન પાથરીને એમાં સુવડાવવું જોઇએ.