Categories
ધાર્મિક

અહી બેઠેલી હરસિદ્ધ માતા ભક્તોની માનતા કરે છે પૂરી.ફોટોને સ્પર્શ કરીને આશીર્વાદ લઈ લ્યો.તમારી મનોકામના પણ પૂરી થઈ જશે’

ભારત દેશ સહીત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અનેક દેવી દેતાઓના સ્થાનક આવેલા છે. દેવી દેવતાઓના તમામ મંદિરો સાથે કોઈના કોઈ રહસ્યો અને ચમત્કારો જોડાયેલા છે. આજે પણ રાજ્યની અંદર એવા ઘણા મંદિરો છે જ્યાં વર્ષ દરમિયાન હજારો ભક્તો પોતાના દુખ દુર કરવા માટે ભગવાનની શરણમાં આવે છે. ત્યારે એક એવુજ હરસિદ્ધ માતાજીનું મંદિર જે રાજ્યની અંદર આગવી ઓળખ ધરાવે છે.

જામકંડોરણા પાસે જશાપર ગામની અંદર આવેલ હરસિદ્ધ માતાજીનું મંદિર જે પોતાના ચમત્કારોને લીધે ખુબજ જાણીતું બન્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર હરસિદ્ધ માતાજી સાક્ષાત બિરાજમાન છે જેથી હજારો ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. તેમજ પોતાના દુખો દુર કરવા માટે હરસિદ્ધ માતાજીના શરણમાં પોતાનું શીષ નમાવીને માતાજીને પોતાના દુખો દુર કરવા માટે વિનવે છે.

અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે. આ મંદિરમાં રવિવાર અને શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે.માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે નથી આવવા દેતા અને અહીંયા આવતા દુખીયાઓના દુઃખ પણ માં દૂર કરે છે. અહીંયા હરસની સમસમ્યા વાળા લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેમની આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે.

માતાજીના આ મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે જેને તમારે નીચે બેસીને પીવાની હોય છે. તેનાથી હરસની ગમે તેવી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે સાથે જ ભક્તોના બધા જ શારીરિક દુઃખો દૂર થઇ જાય છે. આમ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખતા બધા જ ભક્તોના દર્શન માત્રથી જ દુઃખ દૂર થાય છે અને અહીંયા માતાજીના પરચા પૂરતા જ રહે છે સાથે ઘણા ભક્તોના દુઃખો પણ માતાજીએ દૂર કર્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *