Categories
જ્યોતિષશાસ્ત્ર

દિવાળીના દિવસે અચૂક કરો આ રામબાણ ઉપાય.લક્ષ્મી તમને કરી નાખશે માલામાલ

દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને આનંદ લઈને આવે છે. દિવાળીનો તહેવારના સમયે લક્ષ્મી માતાની પૂજા કરવાથી તેઓ આપણા પર રાજી થાય છે અને આપણા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપુર બનાવી દે છે. દિવાળીના તહેવાર દરમિયાન કેટલાક ખાસ ઉપાયો સાથે લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનની દરિદ્રતા દુર થાય છે અને જીવનમાં એક નવો આનંદ ઉમેરાય છે. આજે અમે તમને કેટલાક દિવાળીના તહેવાર દરમિયાન લક્ષ્મી માતાને રાજી કરવાના ખાસ ઉપાયો વિષે જણાવીશું જેને કરવાથી માતા લક્ષ્મી આપણા પરિવાર પર રાજી થાય છે અને જીવન ખુશીઓથી ભરપુર બનાવી દે છે.

કોડીઓનો ઉપાય: દિવાળીના તહેવાર દરમિયાન માતા લક્ષમીજીની પૂજા સમયે ૧૧ કોડીને ગંગાજળથી શુદ્ધ કરીને હળદર અને કુમકુમ વડે માતા લક્ષ્મીજીને અર્પણ કરી દેવાની છે. ત્યારબાદ આ કોડીઓને બીજા દિવસે લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દેવાથી ઘરમાં પૈસા સબંધિત સમસ્યા દુર થાય છે. આ સાથેજ દિવાળીના દિવસે શ્રીસૂક્ત અને કનકધારા સ્તોત્ર, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ બની રહે છે.

સાવરણી અને પીપળાનો ઉપાય: દિવાળીના તહેવાર દરમિયાન નવી સાવરણી ખરીદીને આ સાવરણીથી ઘરને સાફ કરવાથી લક્ષ્મી માતાની કૃપા વરસે છે. અને જયારે સાવરણીનું કામ પૂરું થઇ જાય પછી સાવરણીની છુપાવી દેવાથી માતા લક્ષ્મીજીનું ઘરમાં આગમન થાય છે. ત્યારબાદ દિવાળીના દિવસે સાવરણી મંદિરમાં દાન કરીને પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવી બે હાથે વંદન કરીને પતની ઈચ્છા વ્યક્ત કરવાથી ઈચ્છા પૂરી થાય છે.

યંત્રપૂજાનો ઉપાય: દિવાળીના દિવસો દરમિયાન યંત્રપૂજાને ખુબ મહત્વ આપવામાં આવે છે. દિવાળીના દિવસે પૂજામાં શ્રી યંત્ર, લક્ષ્મી યંત્ર અને કુબેર યંત્રની સ્થાપના કરો. સ્ફટિકના શ્રી યંત્રની સ્થાપના કરી શકો છો. કનકધારા યંત્ર, શ્રી ગણેશ અને ધનની દેવી લક્ષ્મીનું સંયુક્ત યંત્ર, વિધિવત રીતે સ્થાપિત કરી શકાય છે. મહાલક્ષ્મી યંત્ર અને શ્રી મંગલ યંત્રની વિધિવત રીતે પૂજા કરો. દરરોજ ધૂપદીપથી યંત્રની પૂજા કરો.

કલેશ દૂર કરવાનો ઉપાય:  જો ઘરમાં કલેશ હોય સુખશાંતિ દૂર થઈ ગઈ હોય તો દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક ડબ્બીમાં સિંદૂર રાખીને બે ગોમતી ચક્ર લઈને તેના પર મૂકો. હવે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકો અને આ કોઈને કહો નહીં. ઘરનો કલેશ સમાપ્ત થશે. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજામાં પીળી કોડી, કાળી હળદરની ગાંઠની પૂજા કરો અને પૂજા પછી તેને તમારી તિજોરી અથવા નાણાં રાખવાની જગ્યાએ રાખો.આ સાથે રાતના સમયે ડબ્બામાં અથવા વાસણમાં હથ્થાજોડીને સિંદૂરમાં ભરીને તિજોરીમાં રાખવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *