મંગળવારે હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય.હનુમાનજી ખુશ થઈ આપશે આ વરદાન

Uncategorized

એવું કહેવામાં આવે છે કે મંગળવારના દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનદાદાની આરાધના કરવાથી જીવનના તમામ દુખો દુર થઇ જાય છે. પૌરાણિક કથા અનુસાર હનુમાનદાદાને ભગવાન શિવનો અગિયારમો અવતાર માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કળીયુગમાં હનુમાનદાદા હાજરાહજૂર છે આથી તેમની આરાધના કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ, શનિ અથવા રાહુ-કેતુની અશુભ અસર હોય તો તેને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની પણ સલાહ આપવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. ચાલો જાણીએ મંગળવારના દિવસે ભગવાન હનુમાનદાદાને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો વિષે જેને કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે.

મંગળવારે નિયમ પ્રમાણે હનુમાનજીની પૂજા કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી લાભ થાય છે. ધાર્મિક માન્યતા છે કે, વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીમાં હોય, જો કોઈ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરે તો તેના પર બજરંગબલીની વિશેષ કૃપા થાય છે.મંગળવારનું વ્રત કરનારા લોકોએ મીઠાનું સેવન ન કરવું જોઈએ.આ દિવસે મીઠાઈનું દાન કરવામાં આવે છે. જો તમે દાન કરી રહ્યા છો, તો તમારે મંગળવારે જ મીઠાઈ ન ખાવી જોઈએ.

હનુમાનજીની કૃપા આપણા પર બની રહે તે માટે પૂજા અને હવન કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે મંગળવારે હવન ન કરવો જોઈએ.મંગળવારે માથાના વાળ અને નખ કાપવાની મનાઈ છે.આ દિવસે લોખંડનો કોઈપણ સામાન ખરીદવાનું ટાળવું જોઈએ.મંગળવારના દિવસે ભોજન બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે અશુભ માનવામાં આવે છે એટલા માટે ભોજન બળવું ન જોઈએ.મંગળવારે લાલ રૂમાલ પોતાની સાથે રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે દૂધમાંથી બનેલી મીઠાઈઓ જેમ કે બરફી, રાબડી, કાલાકંદ વગેરે ન ખરીદવી જોઈએ.હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ દિવસ આ કારણોસર તેમની પૂજા માટે સમર્પિત હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પવનપુત્રની કડક નિયમો સાથે પૂજા કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમના દુઃખ દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *