લાભ પાંચમે આ ગણેશજીને સ્પર્શ કરી આશીર્વાદ લઈ લ્યો.તમારા બધા દુખ દૂર થઈ જશે.લક્ષ્મીજીનું ઘરે આગમાં થશે

Uncategorized

ગુજરાત રાજ્યની અંદર અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે જ્યાં વર્ષ દરમિયાન હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. ત્યારે હાલોલ તાલુકાના ડેસર ગામની અંદર પણ આવુજ એક ગણેશ ભગવાનનું પૌરાણિક મંદિર આવેલ છે જેને રિસાયેલ ગણપતિના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ડેસર ગામના જંગલમાં ભગવાન ગણેશની પૌરાણિક મૂર્તિ હાથમાં લાડુની ટોપલી લઈને બેઠેલી છે. વિઘ્નહર્તાને મોદક ગણેશ તરીકે ઓળખવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ ગણેશજીની મૂર્તિ  જંગલમાં બેસીને ઇચ્છિત ફળ આપે છે, તેથી ભક્તો માત્ર આસપાસના ગામડાઓમાંથી જ નહીં પરંતુ શહેરોમાંથી પણ તેમના દર્શન કરવા આવે છે. ડેસર અને પાંચ ખોબલા ગામના જંગલમાં આવેલી આ મૂર્તિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની છે.દશરથ સરોવરના કિનારે જંગલમાં બિરાજમાન આ ભગવાન ગણેશ વિશે એક દંતકથા સાંભળવા મળે છે.

ભગવાન શિવે અહીં તેમના પુત્ર કાર્તિકેયન સાથે લગ્ન કર્યા હોવાનું કહેવાય છે, તેમની વિવાહ વિધિ પણ અહીં જોવા મળે છે. જ્યારે કાર્તિકેયનના લગ્ન સ્થળ નજીક આવે છે. ત્યારે લગ્નની આખી જાંન આ જંગલમાં રોકાય છે. પરંતુ ગણપતિ દાદા ને ત્યારે ભૂખ લાગતા તે હાથમાં લાડુની ટોકરી લઈ લે છે. જેને જોઈને ઘણા બધા ભગવાન તેમની મજાક ઉડાવે છે. જેને કારણે ગણેશજી રિસાઈ જાય છે અને જાનમાં આવવાનું ના પાડે છે.

ત્યારે દેવી અને દેવતાઓ તેમની આશીર્વાદ આપે છે કે તેઓ અહીં લાડુની ટોકરી સાથે પૂજાશો.અહીં આવતા કેટલાક ભક્તો એવું પણ કહે છે કે અમે ક્યારેય ગણેશને હાથમાં આટલા લાડુ લઈને બેઠેલા જોયા નથી અને આ એક પૌરાણિક મૂર્તિ છે. અહીં શ્રદ્ધા સાથે રાખેલી તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. નજીકના રહેવાસીઓ પણ અહીં પ્રાર્થના કરે છે. આ મૂર્તિ વર્ષો પહેલા અહીં ખોદકામ દરમિયાન મળી આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *