Categories
જ્યોતિષશાસ્ત્ર

કરવા ચોથ પર ભૂલથી કઈ ખાઈ લીધું તો ચિતા ન કરો.આ ઉપાય કરો મળશે વ્રતનું ફળ

હિંદુ ધર્મની અંદર કોઈ પણ સુહાગણ માટે કરવા ચોથનો તહેવાર ખુબજ મહત્વ ધરાવે છે. આ દિવસે સુહાગણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ પાણી રહીતનો ઉપવાસ રાખે છે. ત્યારબાદ દિવસ દરમિયાન કરવા ચોથ વ્રતની કથા સાંભળવામાં આવે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ કરવા ચોથનું વ્રત તોડવામાં આવે છે. કરવા ચોથના દિવસે રોહિણી નક્ષત્ર બનવું ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે. રોહિણી નક્ષત્ર ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

કરવા ચોથના દિવસે કરવામાં આવતો ઉપવાસ ખુબજ કઠીન માનવામાં આવે છે. કરવા ચોથ વ્રતને સૌથી કઠિન ઉપવાસ માનવામાં આવે છે. જો તમે આ દિવસે આકસ્મિક રીતે કંઈક ખાઈ લો તો પરેશાન થવાની જરૂરત નથી. ઘણા લોકો ભૂલથી કોઈ વસ્તુ ખાવાને ખરાબ શુકન માને છે, પરંતુ તેને ખરાબ શુકન નથી માનવામાં આવતું. શાસ્ત્રો અનુસાર, ભૂલના કિસ્સામાં ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ. ભગવાન મનુષ્યના ભાવને જોઈ છે.

જ્યારે આપણે ભૂલ કરીએ તો આપણે નિષ્ઠાપૂર્વક ભગવાનની માફી માંગી જોઈએ ભગવાન આપણને માફ કરે છે.પહેલા સ્નાન કરો અને પછી બધા દેવતાઓ પાસે ક્ષમા માગો. આ વ્રતમાં દેવી પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન શિવ અને ભગવાન કાર્તિકેયની પૂજાનું વિશેષ મહત્વ છે. તમારી ભૂલ માટે તમામ દેવી-દેવતાઓની માફી માગો.ભગવાનની ક્ષમાયાચના પછી નિયમ-વ્યવસ્થાથી પૂજા કરો.
ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા ચંદ્રની ક્ષમા માગો અને પછી પ્રાર્થના કરો.
તમારી ક્ષમતા અનુસાર તમે પરિણીત મહિલાને દાન પણ આપી શકો છો. આ વ્રતમાં દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આમ તમે જો કરવા ચોથના દિવસે કોઈ પણ વસ્તુ ભૂલથી ખાઈલો તો ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રમાણે ભગવાન પાસે માફી માંગવાથી તમારું વ્રત સંપૂર્ણ પૂરું થયેલું ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *