Categories
ધાર્મિક

પાકિસ્તાનમાં બેસેલી હિંગરાજ માતા પરચા પૂરે છે.ફોટોને ટચ કરી આશીર્વાદ લ્યો.બધી મનોકામના થશે પૂર્ણ

હાલના સમયમાં પવિત્ર એવો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે. આ તહેવારમાં મોટાભાગે માતાજીના મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે. એમાનું જ એક માતાનું શક્તિપીઠ, જે ખુબ જ ચમત્કારી છે. આ શક્તિપીઠ હિંગળાજ માતાજીનું મંદિર છે. પણ અહીં સુધી પહોંચવું ભક્તો માટે ખુબજ અઘરું છે કેમ કે અહીં જવા માટે તમારે પાકિસ્તાન સરકારથી પરવાનગી લેવી પડશે કેમ કે હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યમાં આવેલું છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનની જમીન પર દુર્ગમ પહાડો પર આવેલું છે હિંગળાજ માતાજીનું મંદિર, જે 51 શક્તિપીઠોમાંનું એક છે. હિંગળાજ માતાજીના આ મંદિરને મુસ્લિમ પણ સન્માન આપે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જયારે ભગવાન શંકર માતા સતીના મૃત શરીરને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા, તો બહ્માંડને પ્રલયથી બચાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાના મૃત શરીરને ૫૧ ભાગોમાં કાપી દીધું હતું. માન્યતા અનુસાર, હિંગળાજ જ એ જગ્યા છે, જ્યા માતાનું માથું પડ્યું હતું.

પાકિસ્તાનમાં મુસલમાન લોકો માતા હિંગળાજને નાની નું મંદિર અને નાની ની હજ પણ કહે છે. આ પવિત્ર સ્થાન પર આવીને હિંદુ અને મુસલમાન લોકો વચ્ચેનો ભેદભાવ પણ દૂર થઇ જાય છે. બંન્ને ધર્મના લોકો ભક્તિપૂર્વક માતાની પૂજા-અર્ચના કરે છે. આ મંદિરમાં હિંગળાજ શક્તિપીઠની પ્રતિરૂપ દેવીની પ્રાચીન દર્શનીય મૂર્તિ સ્થાપિત છે. માતા હિંગળાજની ખ્યાતિ ફક્ત કરાચી કે પાકિસ્તાન જ નહિ પણ ભારતમાં પણ છે. નવરાત્રી દરમ્યાન અહીં ૯ દિવસો સુધી શક્તિની ઉપાસનાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

કરાચીથી ૨૫૦ કિમી દૂર આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળની સામે ચંદ્રકૂપ પહાડ પર આવેલ આ મંદિર એટલું પ્રખ્યાત છે કે વર્ષભર અહીં ભક્તોની ભીડ રહે છે. ઊંચા પહાડ પર આવેલું આ મંદિર ગુફાના રૂપમાં છે. આ મંદિરમાં કોઈ જ દરવાજો નથી. માન્યતા છે કે હિંગળાજ માતા અહીં રોજ સ્નાન કરવા આવે છે. આ મંદિરના પરિસરમાં ગણેશજી અને કાલિકા માતાજીની મૂર્તિ પણ સ્થાપિત છે. અહીં બે કુંડ બ્રહ્મકુંડ અને તીરકુંડ પણ છે.

આ મંદિરમાં દાખલ થવા માટે પથ્થરના દાદરા ચઢવા પડે છે. સૌથી પહેલા મંદિરમાં ગણેશજીના દર્શન થાય છે અને સામે જ માતા હિંગળાજની મૂર્તિ છે, જે સાક્ષાત વૈષ્ણો દેવી માતાનું રૂપ છે. આ મંદિરની પરિક્રમામાં ગુફા પણ છે. શ્રદ્ધાળુઓ ગુફાના એક રસ્તામાંથી દાખલ થઈને બીજા રસ્તેથી બહાર નીકળી જાય છે. મહીં માતા સતી કોટટરી રૂપમાં જ્યારે ભગવાન ભોલેનાથ ભીમલોચન ભૈરવ રૂપમાં પ્રતિષ્ઠિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *