Categories
જ્યોતિષશાસ્ત્ર

શનિની સાડાસાતીમાં આખરે શું હોય છે ? વર્તમાનમાં કઈ કઈ રાશિઓ પર ચાલી રહી છે

શનિની સાડાસાતી અને ઢૈય્યા આ શબ્દ સાંભળતા જ લોકોના મનમાં ભય પેદા થાય છે. શનિદેવ જે વ્યક્તિના કર્મ અનુસાર ફળ આપે છે, તે આ મહાદશામાં લોકો પર સારી અને ખરાબ બંને પ્રકારે અસર કરે છે અને તેમની અસર જીવનમાં ખૂબ મોટા ફેરફાર લાવી શકે છે. એવું કહેવાય છે કે શનિની સાડાસાતીના પ્રથમ તબક્કામાં શનિ વ્યક્તિની આર્થિક સ્થિતિ, બીજા તબક્કામાં પારિવારિક જીવન અને ત્રીજા તબક્કામાં સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે. અઢી વર્ષના આ 3 તબક્કામાંથી બીજો તબક્કો સૌથી ભારે હોય છે.

શનિ વર્તમાન સમયમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. મકર રાશિ એ શનિની સ્વરાશિ છે. એટલે કે આ રાશિના સ્વામી પોતે શનિ દેવ છે પરંતુ વર્તમાન સમયમાં શનિદેવ વક્રી છે. જ્યોતિષ ગણના અનુસાર આ સમયે ત્રણ રાશિઓ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. ધન, મકર અને કુંભ રાશિ પર શનિ દેવની સાડાસાતી ચાલી રહી છે.માન્યતા છે કે જયારે પણ શનિની સાડાસાતીનો પ્રારંભ થાય છે તો શનિ દેવ તેમને કષ્ટ, સંકટ અને મુશ્કેલીઓ આપવાનું કામ કરે છે જેમની કુંડળીમાં તેઓ અશુભ હોય. તેની સાથે તે લોકોને પણ શનિ હેરાન કરે છે જે બીજા પ્રત્યે તેમનો વ્યવહાર યોગ્ય નથી રાખતા. બીજાને હેરાન કરે છે, ઘમંડ અને ગુસ્સો કરે છે.

શનિની સાડાસાતીના લક્ષણ

શનિની સાડાસાતી જયારે લાગે છે તો વ્યક્તિને અચાનક ધનનું નુકશાન અને બિમારી થાય છે. દામ્પત્ય જીવનમાં મતભેદ અને તણાવ થવા લાગે છે. લવ રિલેશનશિપમાં બ્રેકઅપની સ્થિતિ ઉદભવે છે. લગ્નમાં સમય લાગે છે. વ્યવસાયમાં સતત નુકશાન અને સખત મહેનત છતાં સંપૂર્ણ ફળ મળતું નથી. નોકરીમાં ઉતાર- ચડાવની સ્થિતિ બને છે.

શનિના ઉપાય

શનિની સાડાસાતિથી બચવા માટે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ. તેવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેની સાથે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે અનાજ, તેલ, લોખંડ, ચપ્પલ, છત્રી અને ઘાબડો વગેરેનું દાન કરવું જોઈએ.શનિદેવ કેટલાક કામ કરવાથી ભયંકર ક્રોધિત થાય છે. શનિદેવની કૃપા મેળવવા માટે આ વાતોનું હંમેશા ધ્યાન રાખો. નબળાને દુખ ના આપો. અસહાય વ્યક્તિની મદદ કરો. ગરીબોની મદદ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *