Categories
જ્યોતિષશાસ્ત્ર

ગુરુવારે કરો ગોળનો આ ઉપાય.થશો માલામાલ

કોઈ પણ માણસે પોતાના જીવનની ઈચ્છાઓ પૂરી કરવા માટે ગુરુવારના રોજ બૃહસ્પતિ દેવની પૂજા અને ઉપવાસ કરવા જોઈએ. જો ગુરુવારના રોજ કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ દુર થાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા ગુરુવારના રોજ કરવામાં આવતા ગોળના કેટલાક ખાસ ઉપાયો વિષે જણાવીશું જેને કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે.

૧: જો તમારી કોઈ ઇચ્છા પૂરી ના થતી હોય તો ગુરુવારની સાંજે એક રૂપિયાનો સિક્કો, ગોળનો એક ગાંગડો અને સાત આખી હળદરની ગાંઠો બાંધીને પીળા કપડાંમાં બાંધીને કોઈ રેલવે લાઈન પાસે ફેંકી દો. તેનાથી ઇચ્છા જલદી પૂરી થઇ જશે.

૨: જો સૂરજ આથમ્યા પછી કેળાના ઝાડની માટીમાં પાંચ કે એક રૂપિયાનો સિક્કો દબાવી દેવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પરિણામે ઘરમાં કદી ધનની કમી નથી આવતી.

૩: જે લોકો શ્રીમંત બનવા માગતા હોય કે આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માગતા હોય તેમણે ગુરુવારે ગોળનો ઉપાય કરવો જોઈએ. એમણે સવારે સ્નાન કરીને કેળાના ઝાડના મૂળમાં મુઠ્ઠી ભરીને પલાળેલી ચણાની દાળ અને ગોળનો ગાંગડો ચઢાવવો જોઈએ. સતત પાંચ કે સાત ગુરુવારે આમ કરવાથી તમારી તકલીફ દૂર થઇ જશે.

૪: જે લોકો જીવનમાં આગળ વધવા માગતા હોય તેમણે ગુરુવારે કોઈ મંદિરમાં 800 ગ્રામ ઘઉં અને એટલો જ ગોળ દાન કરવો જોઈએ. આનાથી ગુરુદેવ પ્રસન્ન થાય છે.

૫: જો કોઈના લગ્નમાં અડચણ આવતી હોય કે લગ્ન ના ગોઠવાતાં હોય તો ગુરુવારે ગાયને લોટના લુઆમાં ગોળ ભરીને ખવડાવો. આમ કરવાથી બૃહસ્પતિગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારું કામ જલદી થઇ જશે.

૬: આજે ગુરુવારે બૃહસ્પતિ દેવને ગોળ ચઢાવવાથી માત્ર ગુરુ જ મજબુત નથી થતો. એનાથી સૂર્ય અને મંગળ ગ્રહની પણ તમારા પર સકારાત્મક અસર પડે છે. જેનાથી તમારા બધા કામ ઇઝી થઇ જાય છે.

૭: જો તમને ઇજા થયા કરતી હોય અને અકસ્માતની આશંકા રહેતી હોય તો તમારે હનુમાનજીના મંદિરમાં તાંબાના વાસણમાં ગોળ મુકીને દાન કરી દો. સાથે જ હનુમાનજીનું ધ્યાન ધરો.

૮: જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા ઘરમાંથી નીકળતી વખતે રસ્તામાં ગાયને લોટ અને ગોળ ખવડાવી દો. આનાથી તમે સફળતા મળશે.

૯: જો કોઈને અનિદ્રાની બિમારી હોય તો સૂતાં પહેલા પોતાના બેડરૂમમાં બે કિલો ગોળને એક લાલ કપડામાં બાંધીને મુકી દો. આનાથી સમસ્યાનું સમાધાન આવી જશે.

૧: જો તમે પોતાનું ઘર બનાવવા માગતા હોવ, સંપત્તિ જોઈતી હોય તો દર ગુરુવારે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને ગોળનું દાન કરી દો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *