ગુરુવારના દિવસને ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પૂજા કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ નબળું છે અથવા કામમાં અડચણો આવી રહી છે તો ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થાય છે, દેવગુરુની કૃપાથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે. સૌભાગ્ય વધારે છે અને કોઇ પણ પ્રકારની કોઇ અછત રહેતી નથી. તો જાણો કયા સરળ ઉપાયોથી તમે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરી શકો છો.
જ્યોતિષના હિસાબથી જો કોઇની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય છે તો તેના લગ્નમાં અડચણ આવે છે. ગુરુવારે કેળાના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવું જોઇએ અને શુદ્ધ ઘીનો દિવો કરીને ગુરુના 108 નામોનું ઉચ્ચારણ કરવું જોઇએ આમ કરવાથી જીવનસાથીની શોધ જલ્દી પૂર્ણ થાય છે. લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. બૃહસ્પતિ દેવને પીળો રંગ અતિપ્રિય છે. તેઓ પીળા રંગનું પીતામ્બર ધારણ કરે છે. એટલા માટે તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુરુવારના દિવસે કેસર પીળો ચંદન અથવા તો હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે. ગુરુવારના દિવસે માથા પર પીળા ચંદન અથવા હળદરનું તિલક કરવાથી ગુરુ મજબૂત થાય છે અને તેનો શુભ પ્રભાવ પણ વધે છે. જેનાથી ધન-સમ્માનમાં વૃદ્ધિ થાય છે. ગુરુવારે પૂજા કર્યા બાદ માથા પર તિલક લગાવો. બૃહસ્પતિવારના દિવસે વ્રત રાખવું જોઇએ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને ભોજનમાં પણ પીળા રંગની વસ્તુઓ સામેલ કરો.
તેનાથી પણ લગ્નમાં આવતી અડચણો દૂર થઇ જાય છે અને જલ્દી લગ્નનો યોગ યોગ્ય બને છે. પ્રમોશન અથવા કાર્યક્ષેત્રમાં આવી રહેલી અન્ય અડચણો દૂર કરવા માટે ગુરુવારના દિવસે મંદિરમાં પીળા રંગની વસ્તુઓ જેવી કે ફળ, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઇએ. આ ઉપરાંત વ્યવસાયમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે ગુરુવારના દિવસે પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો, કોઇ લક્ષ્મી-નારાયણ મંદિરમાં જઇને લાડુનો ભોગ ચઢાવો.