ભારત દેશની અંદર અનેક પ્રાચિનતમ મંદિરો આવેલા છે. જેમાં ઘણા મંદિરો પોતાના ચમત્કારો અને રહસ્યોથી દેશ વિદેશમાં જાણીતા બન્યા છે. ત્યારે ભારત દેશની અંદર આવેલ ભગવાન ગણેશજીનું મંદિર પણ જે પોતાના પૌરાણિક ઇતિહાસના કારણે દેશ વિદેશમાં જાણીતું બન્યું છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને તેમના દર્શન માત્રથીજ ભક્તોના વિઘ્નો દુર થઇ જાય છે.
ભગવાન ગણેશજીનું આ પ્રાચિનતમ મંદિર તામીલનાડુના તીરુવરુર જીલ્લાના કૂટનુર શહેરની અંદર આવેલ છે. કૂટનુરથી લગભગ ૩ કિમીના અંતરે તિલાતર્પણ પુરી ખાતે આવેલ ગણેશજીના આ મંદિરને આદિ વિનાયક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ભક્તોની ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. આ મંદિરની એક ખાસ વિશેષતા છે જેથી કરીને મંદિરમાં વર્ષ દરમિયાન હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.
ભગવાન ગણેશજીનું આ મંદિર અન્ય મંદિરોથી ગણું અલગ છે અને આ મંદિરની અંદર ભગવાન ગણેશજીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની અંદર બિરાજમાન ભગવાન ગણેશજીની મૂર્તિ મનુષ્યના રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે. મંદિરની આ વિશેષતાને કારણે અન્ય મંદિરો કરતા આ મંદિર ખુબજ જાણીતું છે. એવું કહેવામાં આવે છે કે મંદિરની અંદર દરેક ભક્તની મનોકામના ભગવાન ગણેશજી પૂરી કરે છે.
આદિ વિનાયક મંદિર તરીકે જાણીતા બનેલા આ મંદિરમાં દર્શન કરવા માટે વર્ષ દરમિયાન દેશ વિદેશથી ભક્તો આવે છે. આજે પણ આ મંદિર દરેક ભક્તની મનોકામના ભગવાન ગણેશજી પૂરી કરે છે. મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવેલ મનુષ્યરૂપી પ્રતિમા ભક્તોના દુખ દુર કરે છે.