ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં ભાગુડા ગામની અંદર આવેલ આઈ મોગલનું મંદિર આજે ખુબજ જાણીતું બન્યું છે. આઈ મોગલના આ મંદિર સાથે અનેક ચમત્કારો અને કથાઓ જોડાઈ છે જેનાથી પ્રભાવિત થઈને વર્ષ દરમિયાન હજારો ભક્તો મદિરમાં આવીને આઈ મોગલના ચરણોમાં પોતાનું શીષ નમાવે છે. ભગુડા ધામ તરીકે જાણીતા બનેલા આ ગામની અંદર હાજરાહજૂર માં આઈ મોગલ બીરાજમાન છે જે ભક્તોના તમામ દુખ દુર કરે છે.
આ મંદિરની અંદર દરેક જ્ઞાતિના લોકો દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતા આઈ મોગલને પ્રાર્થના કરે છે. મંદિરની અડનાર એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા આઈ નાં નયનો. આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે.
મંદિરની અંદર આઈ મોગલને લાપસીનો પ્રસાદ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે. કારણ કે મોગલ માતાને લાપસી ખુબજ પ્રિય હતી આથી મદિરમાં લાપસીના પ્રસાદનો ખુબજ મહિમા રહેલો છે. એવું કહેવામાં આવે છે કે લાપસીનો પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો દ્વારા અહીં માતાજીને ૧૬ શણગાર અર્પણ કરે છે. જેને તરવેડાનો (માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે.
તરવેડો એટલે એક પ્રકારની માનતા કહેવામાં આવે છે. જેમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીને લાપસી અને શણગાર અર્પણ કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે ભગોડા ગામની અંદર ક્યારેય ચોરી થતી નથી કારણ કે ત્યાં આઈ મોગલનો પ્રતાપ છે. ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિએ મા ને રીઝવવા ભક્તોની ભીડ વધારે હોય છે.શ્રીમદ દેવી ભાગવતમાં ચંડીપાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં મહાઅર્ગલા સ્તોત્ર આવે છે.