Categories
ધાર્મિક

ઘોડાની નાળ બદલી શકે છે તમારું જીવન, ફોટોને ટચ કરી જય શનિદેવ લખો મનની ઈચ્છાઓ થશે પૂરી

વાસ્તુ શાસ્ત્રમાં ઘોડાની નાળ ના ઘણા બધા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દુર થાય છે. સાથે જ વાસ્તુદોષ પણ દુર થાય છે. સાથે જ ગ્રહોને અનુકુળ બનાવવા માટે પણ ઘોડા ની નાળ નો પ્રયોગ કરવામાં આવે છે કારણ કે તેનો સંબંધ શનિ સાથે હોય છે.

તેને લગાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ ધન અને સામાજિક સમસ્યાઓનો પણ અંત થાય છે. તેનાં પ્રયોગથી ના માત્ર જીવનમાં સુખ શાંતિ આવે છે. પરંતુ સફળતા પ્રાપ્તિ માટે પણ તેને વિશેષ કારગર માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણી લઈએ ઘોડાની નાળ કઈ કઈ વસ્તુઓમાં ફાયદો આપે છે.

કાળા ઘોડાની નાળ ને મુખ્ય દરવાજા પર “યુ આકાર” માં લગાવી દેવી જોઈએ. આવું કરવાથી પરિવારમાં સકારાત્મક માહોલનો સંચાર થાય છે અને પરિવારનાં સદસ્યોની પ્રગતિ પણ થવા લાગે છે અને પરસ્પર પ્રેમ વધવા લાગે છે. વળી દુકાન કે વ્યવસાય સ્થળ પર લગાવવાથી પણ લાભ થાય છે. કોઈપણ પ્રકારની પ્રતિસ્પર્ધામાં તમારી જીત થાય છે.

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો કે પછી કરજ ની સમસ્યા તમને માનસિક તણાવ આપી રહી છે તો ઘરનાં મુખ્ય દરવાજા પર જ શનિવારના રોજ પૂજા અર્ચના કરીને ઘોડાની નાળ લગાવવી જોઈએ. આવું કરવાથી થોડા દિવસોમાં જ તે તમને લાભ આપવાનું શરૂ કરી દે છે અને ધન પ્રાપ્તિનાં માર્ગ બનવા લાગે છે. સાથે જ નાળ ને કાળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી પણ ધનમાં વધારો થાય છે.

જો કોઈ વ્યક્તિ શનિ દોષથી પીડિત છે તો તેનાં બેડ પર નાળ ટાંગી દેવા માત્રથી શનિનાં પ્રકોપમાંથી મુક્તિ મળે છે. પરંતુ ઢૈય્યા તથા સાડાસાતીમાં પણ અનુકુળ પ્રભાવ જોવા મળે છે. સાથે જ જાદુ અને ટોણા કે મંત્ર કે તંત્રમાંથી પણ મુક્તિ મળે છે. જો તમે કોઈપણ ગ્રહ બાધાથી પરેશાન છો તો ઘોડાની નાળ નો કડુ પણ પહેરી શકો છો. તેનાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *