Categories
ધાર્મિક

ઊંચા કોટડા વાળા ચામુંડા માતાના પરચા આજે પણ જોવા મળે છે, અહીંયા આવતા ભક્તો ના દુઃખો દૂર કરે છે માં….

આપણા દેશમાં મોટા ભાગના લોકો દેવી દેવતાઓમાં માનવાવાળા લોકો છે. આપના દેશમાં ભક્તોની સંખ્યા મોટા પાયે આવેલી છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માં ચામુંડા આજે પણ હાજરાહજૂર છે. ઊંચા કોટડામાં માં ચામુંડાનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવે છે.

ઉંચા કોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઉંચા કોટડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન કરે છે.  આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.  ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીની માનતા રાખે છે અને માં ચામુંડા તેમના કોઈ પણ ભક્ત ને નિરાશ નથી કરતી અને તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. એક સમયે અહીંયા પાણી અને બીજી ઘણી બધી સમસ્યાઓ પડવા લાગી હતી.

તેથી જહાજી ભીલને તેમના માલઢોરની ચિંતા થવા લાગી હતી. તો બધાએ ચામુંડા માતાજીની સાચા મનથી પ્રાર્થના કરી અને ચામુંડા માતાજીએ તેમને બધાને  દરિયા કાંઠા બાજુએ જવાનું કહ્યું હતું. તેથી જહાજી મારવાડ માંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડ ની ધરતી પર કોટડા આવ્યા હતા અને પછી તમને અહીંયા ચામુંડા માતાજીનું મંદિર બનાવ્યું હતું.

જહાજીઓ રોજ રોજ માં ચામુંડાની પૂજા અર્ચના કરવા લાગ્યા હતા. જાહજી શેર માટીની ખૂંટ હતી તેથી માં ચામુંડા તેમની ભક્તિ ભાવથી પ્રસન્ન થયા અને તેમને પુત્રના  આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો તેનું નામ કાળિયો ભીલ હતું. તે માં ચામુંડા નો પરમ ભક્ત હતો. આજની તારીખેમાં ઉંચા કોટડામાં હાલ કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ઉંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે.  આ માસ દરમિયાન શકિત ઉ૫સનાનો સમય છે. ચૈત્ર પુનમને દિવસ મેળો ભરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *