આપણે જાણીએ છીએ કે બજરંગ બલી એ કળિયુગના દેવ છે. તમામ દેવોમાં બજરંગ બલીને શક્તિશાળી દેવ તરીકે ઓળખવામાં આવે છે. હનુમાનદાદા હંમેશા પોતાના ભક્તની રક્ષા કરે છે. જે ભક્ત પોતાના મંદિરે પૂરી શ્રદ્ધાથી માનતા લઈને આવે છે. તેની બધી માનતાઓ હનુમાનદાદા પૂરી કરે છે. મંગળવાર અને શનિવાર એ હનુમાન દાદા નો પ્રિય દિવસ છે. આ દિવસે ભક્તો હનુમાનદાદાને રિઝવવા માટે જુદા જુદા પ્રકારના ઉપાયો કરે છે .આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાંથી સંકટ દૂર કરશે
હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે દર શનિવારે અને મંગળવારે દાદાના મંદિરે જઈને ત્યાં બેસે હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી કષ્ટભંજન દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને તેમની અસીમ કૃપા બની રહે છે. હનુમાન દાદાને સિંદૂર અતિ પ્રિય છે શનિવાર અને મંગળવારના દિવસે દાદાના મંદિરે જઈ જો તમે દાદા ને સિંદૂર અર્પણ કરશો હનુમાન દાદા તમારા પર પ્રસન્ન થશે. અને જીવનમાંથી તમારા તમામ સંકટો દૂર થાય છે.
આ દિવસે જો તમે કેસરી રંગના વસ્ત્રોનું દાન કરશો તો તમારા બધા અટકેલા કામ પૂરા થઈ જાય છે. શનિવાર નો દિવસ એ હનુમાનજી સાથે શનિદેવનો પણ પ્રિય દિવસ છે. આ દિવસે શનિદેવની સાથે સાથે હનુમાનજી ના મંદિરે જઈ તેલનો દીવો કરશો તો હનુમાન દાદા તમારા જીવનના તમામ દુઃખો દૂર કરશે. અને તમારા પર આવેલું આર્થિક સંકટ પણ દૂર થઈ જશે.
કોઈ શુભ અવસર પર શનિવારના દિવસે તમારા ઘરે સુંદરકાંડ પાઠનો આયોજન કરો. સુંદરકાંડ ના પાઠમાં કહેવાય છે કે દાદા હાજરા હજૂર હોય છે. તો તમારા ઘરે પણ દાદા પધારશે અને તમારા ઘર માં અને પરિવારમાં સુખ શાંતિ થશે અને જીવનના તમામ દુઃખો દૂર થશે.
દોસ્તો અહીં જણાવેલા ઉપાયો જો તમે શનિવારના દિવસે કરશો તો તમારા બધા દુઃખો એ દાદા દૂર કરશે. કષ્ટભંજન દેવ પોતાના મંદિરે આવેલા ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. પરંતુ ભક્તમાં પણ અતૂટ શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે. જો ભક્ત ખુબ જ શ્રદ્ધાથી હનુમાન દાદા ને ભજશે તો તેના જીવનના તમામ દુખો હનુમાન દાદા અચૂક દૂર કરે છે બોલો કષ્ટભંજન દેવ કી જય.