Categories
ધાર્મિક

મોગલ માં: આ રીતે ઘરે જ માં મોગલ ની કરી શકો છો પૂજા,મણીધર બાપુ એ જણાવ્યો ઉપાય….

માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે  મોગલના ધામમાં આવતા હોય છે. જે કોઈ પણ માં મોગલના દરવાજે આવીને માથું નમાવે છે તે ભક્તોના જીવનમાંથી આવતા તમામ દુઃખો માં મોગલ દૂર કરીને ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે. માં મોગલ આજે પણ ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપે છે. માં મોગલ કચ્છના કબુરાઉ માં સાક્ષાત બિરાજમાન છે અને વર્ષોથી તેમને સેવા કરવા માટે ત્યાં મણિધર બાપુ પણ છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીંયા આવે છે અને માં મોગલની માનતા માને છે. માં મોગલ પણ તેમના ભક્તોની સાચા દિલ થી માનેલી માનતાઓ પુરી કરે છે. ઘરે માં મોગલની પૂજા અર્ચના કરવા માટે મણિધર બાપુએ બતાવ્યા ઉપાય.

તમે મોગલ માંની પૂજા કરો ત્યારે ગૂગળનો ધૂપ પ્રગટાવો. આ માતાને ખુશ કરે છે. માં મોગલની પૂજા કરતી વખતે ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલને પ્રસન્ન કરવા હોય તો જરૂરિયાતમંદને વસ્ત્ર દાન કરવા જોઈએ, માતા પ્રસન્ન થાય છે. મંગળવારે ગરીબ બાળકોને તેમના ઘરે બોલાવીને પ્રેમથી પૂજા કરવી જોઈએ, આમ કરવાથી તેમને પણ માતાના આશીર્વાદ મળે છે.

તમારે ઘરે માતા મોગલની પૂજા કરવી હોય તો સૌ પ્રથમ માં મોગલને યાદ કરો અને તેમનો ફોટો ઘરમાં લગાવો. તેમનો ફોટો લગાવ્યા પછી તેમની સામે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. સાથે કુળદેવીની પૂજા પણ કરો. માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.

મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે. તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે. તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે. કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *