માતાજી મોગલ પર લોકો આસ્થા અને શ્રદ્ધા રાખીને દિલથી માનતા માનતા હોય છે ને તમામ ભક્તોની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરતી હોય છે અત્યાર સુધીમાં માતાજી મોગલે લાખો ભક્તોને પોતાના પરચાઓ પૂરા પાડ્યા છે. માતાજી મોગલ તો લોકોના દુઃખ હરનારી છે ને માતાજીને વરણ ની મા કહેવામાં આવે છે. માતાજી મોગલ ની લોકો ભગુડામાં પણ માનતા રાખે છે અને કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ પણ લોકો માનતા રાખે છે અને માતાજીની માનતા પૂર્ણ થતાની સાથે તેઓ મોગલ ધામ આવી પહોંચતા હોય છે.
માતાજી મોગલ બધા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને જીવનમાં ક્યારેય કષ્ટ ન આવે અને તેમની બધી ઈચ્છા પૂર્ણ થાય તેવી માતાજી મોગલ સામે માંગણી કરતા હોય છે.જો તમે માતાજી મોગલને ન માનતા હોય તો આજે અમે એક એવો પરચા વિશે જણાવવાના છીએ.
એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છ ના કબરાઉ સ્થિત માં મોગલ ધામ આવી પહોંચે છે. આપણે બધા જાણીએ છીએ કે માતાજીની સેવા કરવા માટે કચ્છના કબુરાઉ ધામમાં મણીધર બાપુ સાક્ષાત બિરાજે છે ત્યારે આ યુવતી બાપુ પાસે માનતા પૂરી કરવા માટે આવી પહોંચે છે. પહેલા તો બાપુ પાસે આશીર્વાદ લે છે ને ત્યારબાદ બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા આપે ત્યારે મહિલાએ કહ્યું કે તેને વિદેશ જવા માટે ના બીજા માટેની માનતા માની હતી પણ તે પૂર્ણ થતા ની સાથે જ તે બાપુના ચરણે 11000 રૂપિયા અર્પણ કરવા આવી છું. ત્યારે મણિધર બાપુ તે મહિલાને આશીર્વાદ આપતા કહ્યું કે આ રૂપિયા તું તારી બેન કે નણંદ આપી દેજે અને માતાજી મોગલ તને રાજી રાખશે. માં મોગલ એ તારી અનેક ઘણી માનતા સ્વીકારી છે. જય મોગલ માં.