Categories
ધાર્મિક

નવરાત્રી પર્વમાં અંબે માને સ્પર્શ કરી પગે લાગો.નવરાત્રી દરમિયાન જ તમારી બધી માનોકામનાઓ પૂર્ણ થશે

નવરાત્રી એ હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના જુદા જુદા નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સમય દરમિયાન વાતાવરણ ખૂબ જ ભક્તિમય થઈ જાય છે. નવરાત્રીમાં માતાજીને પ્રસન્ન કરવા માટે અને શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે પૂજામાં પૂજન સામગ્રી પૂજાની વિધિ અને નિયમો ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિમાં કેટલીક વસ્તુઓ તમે ઘરે લાવશો તો મા દુર્ગા તેનાથી પ્રસન્ન થઈ જાય છે અને તેમની અસીમ કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો દોસ્તો જાણીએ નવરાત્રીમાં કઈ વસ્તુઓ ઘરે લાવી શકાય છે.

નવરાત્રી દરમિયાન મહિલાઓ માતાજીને પૂજામાં શણગાર ચડાવે છે તો તેને શુભ માનવામાં આવે છે. જો આવું કરવામા આવે છે નવરાત્રીમાં જુઓ માતા રાણીને 16 શૃંગાર ઘરે લાવવામાં આવે તો મા અંબે અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપે છે. માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન કેળાનો છોડ લાવી અને ઘર આંગણે લગાવવામાં આવે અને તેની નિયમિતપણે પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આર્થિક તંગી માંથી મુક્ત થઈ જવાય છે યાદ રાખવું કે નવરાત્રી દરમિયાન દરરોજ આ કેળાના છોડને પાણી ચઢાવવું તેમજ ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી તેને દૂધ અર્પણ કરવું માતાજી સદાય પ્રસન્ન રહે છે અને તમારા બધા કામ થઈ જાય છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કમર પર બેઠેલી લક્ષ્મી માનું ચિત્ર લાવી અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન તેમને જો પૂજા કરવામાં આવે તો માતાજી તમને ધન વૈભવ અને સમૃદ્ધિ ના આશીર્વાદ આપે છે અને ઘરમાં ક્યારે ધન અને ધાન્યની કમી થતી નથી.

આ ઉપરાંત માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન જુઓ મોરપીંછ ઘરમાં લાવવામાં આવે તો શુભ ગણાય છે કારણ કે શાસ્ત્રોમાં મોરપીંછ નો સંબંધ સરસ્વતી માતા અને શ્રીકૃષ્ણ સાથે બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નવરાત્રીના નવ દિવસ માતાજીના ઉપવાસ કરવાથી શુભ સમાચાર મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *