Categories
Dharmik

શારદીય નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય! સામે ચાલીને ઘરમાં આવશે માં લક્ષ્મી, ધનની થશે રેલમછેલ….

નવરાત્રી એટલે તો આદ્યશક્તિ ની આસ્થા સાથે આરાધના કરવાનો સુનહેરો અવસર. નવરાત્રી દરમિયાન દેવી માં ના અલગ અલગ રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. લોકો આદ્યશક્તિને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાયો કરતાં હોય છે. દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખતાં હોય છે. નવરાત્રિ દરમ્યાન અમુક ઉપાયોને કરવા ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા ઘણા ઉપાયો અંગે જણાવીશું.

પોતાના ઘરમાં પૂજા સ્થાન પર મા ભગવતી દુર્ગા , માતા લક્ષ્મી અને મા સરસ્વતીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. આ બધાને ફૂલોથી સજાવીને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાં જોઈએ.

નવરાત્રીના 9 દિવસોમાં મા દુર્ગાના સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ મનોરથની પૂર્તિ થતી હોવાની માન્યતા છે અને સકારાત્મકતા આવશે.

જો નવ દિવસ વ્રત ન કરી શકો તો પહેલા, ચોથા અને આઠમા નોરતા ના દિવસે તમે ઉપવાસ કરો. આ ઉપવાસ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

મા દુર્ગાને સવારે સ્નાનાદિકાર્ય થી પરવારીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઇએ. દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો . આવું કરવાથી વ્યક્તિને ઊર્જાની અનુભૂતિ થાય તેવી માન્યતા છે.

પૂજા સમયે વ્યક્તિએ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ. લાલ રંગને શુભતાની નિશાની માનવામાં આવે છે. એટલું જ નહીં કુમકુમનું તિલક પણ અવશ્ય લગાવો. લાલ રંગ ધારણ કરવાથી વ્યક્તિને વિશેષ ઊર્જાની પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતા છે.

આઠમ અને નોમના દિવસે 9 કન્યાઓનું પૂજન અચૂક કરવું જોઈએ. કન્યા પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે. કારણકે આ નવ કન્યાઓ મા દુર્ગાના 9 સ્વરૂપ સમાન માનવામાં આવે છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે ક્ન્યાઓને દક્ષિણ દિશામાં બેસાડવી.

મા દુર્ગાને સવારે સ્નાનાદિકાર્યથી પરવારીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઇએ. દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો . આવું કરવાથી વ્યક્તિને ઊર્જાની અનુભૂતિ થાય તેવી માન્યતા છે.

નવ પ્રકારના સૂકા મેવાને લાલ ચુંદડીમાં રાખીને દેવીને ભોગ અર્પણ કરવો જોઈએ. અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ સરળ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પગલાના નિશાન ઘરની અંદર તરફ જતા લગાવો. આજકાલ માર્કેટમાં માં દુર્ગાના પગલાના નિશાનવાળા સ્ટીકર સરળતાથી મળી જાય છે. તમે ઈચ્છો તો તેને જાતે પણ લાલ પેઈન્ટથી બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *