વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે ધનતેરસ 25 ઓક્ટોબરે આવવાની છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે છે કે કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ કરે છે ત્યારે તેનો સીધો પ્રભાવ માનવ જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બધા ગ્રહોની સ્થિતિ મુતાબિક જાતક પર એની અસર પડે છે, જો ગ્રહ મજબૂત થાય કાંતો સારી સ્થિતિમાં થાય તો શુભ ફળ મળે છે અને એનાથી જોડાયેલી બીમારીઓમાં રાહત મળે છે, પણ જો ગ્રહ પીડિત કાંતો કમજોર થાય તો જીવનમાં એના નકારાત્મક પડવા લાગે છે અને એનાથી જોડાયેલી બીમારીઓનો ખતરો વધવા લાગે છે.તમને જણાવી દઇએ કે શનિદેવ જુલાઈ મહિનામાં વક્રી થયા હતા અને હવે તે 25 ઓક્ટોબરે માર્ગી થવા જઈ રહ્યા છે. 3 રાશિઓ એવી છે જેને શનિ દેવના માર્ગી થવાના લીધે લાભ થવાના છે તો ચાલો તે રાશિઓ વિશે જાણીએ.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિ દેવનું ધનતેરસ ના દિવસે માર્ગી થવું ખૂબ જ લાભદાયક સાબિત થશે. મેષ રાશિના જાતકોની કુંડળીમાં શનિ દેવ દશમા ભાવમાં ગોચર કરશે. જેને બિઝીનેસ અને નોકરીનો ભાવ માનવામાં આવે છે. આજે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશે. આ રાશિ ના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકો ને આજે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. પરંતુ કામ પૂરું થઈ જશે. પ્રવાસ કરવા માટે તમારા માટે દિવસ સારો નથી. તમારા જીવનસાથીના વર્તન વિશે તમને અજુગતું લાગશે. કરિયરમાં પ્રોમોશન અને ઇન્ક્રીમેન્ટ થશે. નીલી રત્ન ધારણ કરવો શુભ માનવામાં આવે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શનિ દેવું નું માર્ગી થવું શુભ સમાચાર લાવશે. શનિ દેવનું ધનતેરસ ના દિવસે સીધી ચાલ ચાલવાથી કરિયર અને વ્યાપરમાં લાભ થશે. શનિદેવ મીન રાશિમાં 11 માં ભાવમાં ગોચર કરશે. જેને આવક અને લાભ નું સ્થાન માનવામાં આવે છે. ધંધામાં લાભ થશે. પારિવારિક ઝગડો સમાપ્ત થશે. આજે તમે તમારા શત્રુઓને તમારા પર વર્ચસ્વ નહીં થવા દેશો, પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો.
તુલા રાશિ
શનિ દેવનું માર્ગી થવું તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. શનિ ગ્રહ તુલા રાશિના જાતકોને ચોથા ભાવમાં ગોચર કરશે. જેથી તમને ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તમે પોતાના કામકાજ માં સફળતા મેળવી શકો છો. તમે જીવનસાથી સાથે બહાર ફરવા જવાનું આયોજન કરી શકો છો. તમને ભાગીદારો નો પૂર્ણ સહયોગ મળશે તમારા બધા અટકેલા પૈસા પરત મળી શકે છે.