મેષ રાશિ
મેષ રાશિના લોકોએ રોજ સવારે તેમના ઇષ્ટદેવ સૂર્યની પૂજા અર્ચના કરવી જોઈએ અને રોજ સવારે સૂર્યદેવ ને જળ અર્પણ કરી તમેની પૂજા કરવી જોઈએ અને નમન કરવું જોઈએ.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સફળતા મળશે અને પુણ્ય પ્રાપ્તિ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો ના ઇષ્ટદેવ લક્ષ્મીજી છે. તો રોજ સવારે માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. આર્થિક લાભ થાય છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોએ રોજ સવારે હનુમાનજી ની પૂજા અર્ચના કરવી જોઈએ. હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ તેનાથી સફળતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના ઇષ્ટદેવ સ્વયં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા હોય છે. આ રાશિના જાતકોએ સવારે ઘરેથી નીકળતા પેહલા ગણપતિ ભાગવાનો કોઈ પણ શ્લોક બોલીને નીકળવું જોઈએ જેથી ધાર્યું કામ થાય.
કન્યા રાશિ
આ રાશિના ઇષ્ટદેવ માતા કાલી હોય છે. માતા કાલી ની પૂજા અર્ચના કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
તુલા રાશિ
આ રાશિના લોકોના ઇષ્ટદેવ શનિદેવ હોય છે. દર શનિવારે કાલ ભૈરવ કે શનિદેવ ના દર્શન કરવાથી તુલા રાશિના જાતકોને વિશિષ્ટ લાભ થાય છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોના ઇષ્ટદેવ કાર્તિકેય ભગવાન હોય છે. તેમની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
ધનુ રાશિ
આ રાશિના લોકો પર સ્વયં હનુમાનજી ની અસીમ કૃપા રહે છે. હનુમાન દાદા ની પૂંજા કરવાથી દુઃખો દૂર થાય છે.
મકર રાશિ
આ રાશિના લોકો ના ઇષ્ટદેવ માં દુર્ગા હોય છે. માં દુર્ગા ને પુષ્પ ચડાવીને તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને ઇષ્ટદેવ વિષ્ણુ ભગવાન અને માતા સરસ્વતી હોય છે.
મીન રાશિ
મીન રાશિના જાતકોના ઇષ્ટદેવ ભગવાન શંકર હોય છે.