ઘણા લોકો ના જીવનમાં રોજબરોજ કોઈને કોઈ સમસ્યાઓ આવતી જ હોય છે. લોકો સ્વાસ્થ્ય ને લઈને પરેશાન હોઈ છે તો અમુક પૈસાની તંગી ને લીધે હેરાન પરેશાન રહેતા હોય છે. પૈસા એ એક એવું વસ્તુ છે જેની જરૂરિયાત બધા ને હોઈ છે. લોકો પૈસા કમાવા માટે રાત દિવસ મેહનત કરતા હોય છે અને પોતાના સપના પુરા કરતા હોય છે. પરંતુ તમારા કમાયેલા પૈસા કામ વગર વેડફાયી જાય ત્યારે બહુ દુઃખ થાય છે અને આર્થિક તંગી ઉભી થાય છે.આર્થિક તંગી દૂર કરવી હોય તો વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાયો આજમાવી જુઓ.
પાણીના તમામ તત્વોમાંથી શંખની રચના થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર શંખ એ સૂર્ય અને ચંદ્ર ની જેમ દેવ છે. શંખની આગળની બાજુએ ગંગા, સરસ્વતી અને પાછળના ભાગમાં વરુણ અને મધ્યમાં બ્રહ્માજી સ્વયં બિરાજમાન છે. શંખના ઘણા પ્રકાર હોય છે. પરંતુ જે ઘરમાં શંખ દક્ષિણ દિશામાં હોય અને તેનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો ઘર માંથી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. સમુન્દ્ર મંથન માંથી 14 અણમોલ રત્નો નીકળ્યા હતા જેમાંથી જેમાંથી એક શંખ પણ હતો.
જો તમે ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધ્યાન મૂકેલું હોઈ છે તે જગ્યાએ અને જ્યાં તમારા આભૂષણો મુકેલ હોય છે તે જગ્યાએ મોર પીંછ મુકવાથી આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે.
જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે આઠ મોર પીંછને સફેદ દોરા થી બાંધીને ઓમ સોમાય નમઃ નો જાપ કરો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહોની સ્થિતિ માં પણ સુધારો થાય છે.
પીળી કોડી ને માતા લક્ષ્મી નું પ્રતીક માનવામાં આવે છે. કોડીને કેસર અને હળદળ ના દ્રાવણ માં પલાળીને તેને લાલ રંગના કપડામાં બાંધીને ઘરમાં જ્યાં પૈસા હોય ત્યાં અથવા ઘરની તિજોરીમાં મૂકી દો. એક નારિયેળ ની પુરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કર્યા પછી તેને એક ચમકીલા કપડામાં લપેટીને તમારા ઘરની તિજોરીમાં મુકી દો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ પૈસા નહિ ખૂટે અને કમી પણ નઈ આવે.